વસંતતીલકા
( જાણો વસંતતીલકા ત ભ જા જ ગા ગા )
ત્રણ જીવન અવસ્થાઓ
———————–—————–
જન્મ્યા અને રમતમાં બહુ મોજ લીધી.
ઝુઝ્યા રણે જગતમાં સહુ ભોગ ભોગ્યા.
ઘરડા થયા મરણની બહુ વાટ કીધી.
ત્રણ ગુણ
———–————————–
સંતો વદે વચન પ્રેરક ગાન ગાતા.
રાજા હણે શપથથી સહુ દુર્જનોને.
દૈત્યો દમે કપટથી કદી ના ધરાતા.
તા. 16 એપ્રીલ – 2007 ના રોજ પ્રથમ વાર ‘ સર્જન સહીયારું ‘ પ્રકાશીત
ઘરડા શબ્દમાં એક લઘુ વધુ છે. બુઢ્ઢા ચાલે પણ તે શબ્દ મેચ થાય તેવો જણાતો નથી.
તમે કોઈપણ નવી બાબતને સ્વીકારો છો એટલું જ નહીં, અમલમાં પણ મુકીને યુવાનોને પ્રેરણા આપો છો.
તમને દાદા કહેનારની એ પાયાની ભુલ ગણાય !
By: Jugalkishor on April 18, 2007
at 7:20 pm