નવોદીતોને એક સૂચન
Posted by સુરેશ on April 27, 2007
ભાઇ શ્રી. દીપક પરમારની કવીતાઓને મળેલા આવકારથી મને બહુ જ આનંદ થયો છે. વધારે ને વધારે યુવાનો અને યુવતીઓ આ સવલતનો લાભ લેશે તો ગુજરાતી ભાશાની સારી સેવા થશે.
બીજી એક માહીતી આપવાની છે તે એ કે, ‘ઉર્મી’ અને હું દર શુક્રવારે એક નવો વીશય તેના બ્લોગ ‘ સર્જન સહીયારું’ પર મુકીએ છીએ, જેમાં સૌને ગુજરાતી સાહીત્યમાંથી, તે વીશય પર રચનાઓ ખોળી કાઢવાનું ( ખજાના શોધ) , અથવા પોતાની રચના બનાનીને આપવાનું (સર્જન ક્રીયા) ઇજન અપાય છે. આ એક જાતની કવીતા માટેની વર્કશોપ છે, અને સૌને માટે એક સરસ પીઠીકા પુરી પાડે છે. દર અઠવાડીયે 15 થી 20 વાચકો તેમાં ઉત્સાહ પુર્વક ભાગ લે છે.
તમને બધાને આ સવલતનો પણ લાભ લેવા હાર્દીક આમંત્રણ છે.
સર્જન સહીયારું - http://sarjansahiyaaru.wordpress.com/
અત્યાર સુધીમાં આ સર્જનક્રીયા માટે ઘણા વીશયો મુકવામાં આવેલા છે તે માટે પણ તમે તમારી રચનાઓ કે શોધ આપી શકો છો .
Posted in સમાચાર | 2 Comments »