પાનખરને કોણ કહે, થંભી જવાની ઘડી છે.
ઉદાસ આંખોમાં સપનાં સજાવાની ઘડી છે.
નીરાળો છે,આ તકદીરનો ખેલ પણ ભલા,
શું માનવીને માનવ થવાની ધુન ચડી છે?
બેફામ વીસ્તરતાં આ શહેરને કોઇ ખુણે,
ક્ણસતાં, લાચાર માનવીની કોને પડી છે?
વીસરાય છે, હ્સ્તી જગમાં વીદાય પછીથી
દીવાલે ટીંગાયેલ તસ્વીર ખુદની આંખે ચડી છે.
- સુનીલ શાહ