અમરફળ જોઈએ – સુનીલ શાહ
Posted by સુરેશ on May 20, 2007
કોણે કીધું સોનેરી પાંખ જોઈએ?
ઉડવા માટે બસ ઈરાદો જોઈએ.
બીંબ–પ્રતીબીંબના આ જગતમાં,
જીવનને નીરખવા નયન જોઈએ.
પોંખીએ તીમીરના ય આગમનને,
સંધ્યાટાણે એકમેકનો સાથ જોઈએ.
છો ને, સરી જતો સમયનો પાલવ,
જીવનને સમેટવા એક પળ જોઈએ.
ગમન–આગમન તો વીધીના ખેલ,
શાશ્વત થવા અમરફળ જોઈએ.
– સુનીલ શાહ
છેલ્લી કડીમાં અમરફળની જગ્યાએ સત્કર્મ મુકીએ તો કેવું? કે પછી સત્કર્મ જ તે અમરફળ?
પહેલી કડી પરથી મારા એક મુસ્લીમ મીત્રે કહેલો અને મને બહુ જ ગમતો શેર ટાંકવાની લાલચ જતી નથી કરી શકતો.
जो बात दीलसे नीकलती है, असर रखती है ।
पर नहीं, ताकते- परवाझ मगर रखती है ।
પર = પાંખ
તાકતે પરવાઝ = પક્ષીની તાકાત
Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »