આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’
Posted by સુરેશ on May 22, 2007
કેટલાક સંબંધો કાચ જેવા હોવાથી તુટે છે.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 22, 2007
કેટલાક સંબંધો કાચ જેવા હોવાથી તુટે છે.
Posted in ચાંદરણા | No Comments »
Posted by સુરેશ on May 22, 2007
કહી દો આ સૌ પારેવાંને,
હવે ચણ નથી નાખવાનો.
કુણી લાગણીઓની અંદર
ટપકતાં આંસુ નથી લુછવાનો.
કાચીંડા સમ આ જીવનમાં,
હવે રંગબાજી નથી કરવાનો
ને સંવેદનાની બુઠઠી કીનારને
હવે ધારદાર નથી ઘસવાનો.
તોરણો ભલે બંધાયા માંડવે
યાદોને વીદાય નથી આપવાનો.
ને પીંડ ભલે બંધાય ગઝલનો
શબ્દોને રમત નથી રમાડવાનો.
– સુનીલ શાહ
સુનીલભાઇએ બહુ ઉદારતાપુર્વક અમારી નવી મૈત્રીના નાતે, મને તેમની રચનાઓ મારા સંઘેડા પર ચઢાવવા માટે ‘પાવર ઓફ એટર્ની’ આપ્યો છે (!) , તેના સહારે નીચેનો સંઘેડા-ઉતાર કર્યો છે તે પણ વાંચશો !
કહી દો આ સૌ પારેવાંને
ચણ કોઇ ધરશું નહીં.
કુણી લાગણીઓની ભીતર,
ટપક અશ્રુ લુછશું નહીં.
કાચીંડા સમ આ જીવનમાં,
રંગ અમે સજશું નહીં.
સંવેદનની બુઠ્ઠી ધારને,
સારણ પર ઘસશું નહીં.
અશોક પર્ણ બંધાય માંડવે,
તવ યાદને તજશું નહીં.
ગઝલ પીંડ બંધાય માંડવે,
શબ્દ રમત રમશું નહીં.
આ એક વીચાર વીમર્શ અને રચનાત્મકતાની પીઠીકા છે, આથી નવોદીતોને વીનંતી કે મારી આવી બાળ-હરકતો સુનીલભાઇની જેમ ઉદાર મને સાંખી લે
નવી જોડણીની જેમ ……
Posted in ગઝલ, સુનીલ શાહ | 8 Comments »
Posted by સુરેશ on May 22, 2007
રમણલાલ જોશી નો જન્મદીન - 1926 ; હીરપુરા જી. મહેસાણા
ત્રીભુવન ગૌરીશંકર વ્યાસ નો જન્મદીન - 1888 ; સેંજળ વી. ભાવનગર
_______________________________________________
Posted in કેલેન્ડર | No Comments »