કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for June, 2007

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 30, 2007

ચગડોળને ગતી હોય છે - પ્રગતી નહીં.

Posted in ચાંદરણા | 1 Comment »

30 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 30, 2007

 ’લલીત’  નો જન્મદીન  -  1877, જુનાગઢ

  • “મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
    અનેરી અમારી એ લગીર.” 
  • જીવનઝાંખી

દીનકર જોશી નો જન્મદીન  -  1937  ; ભડી ભંડારિયા -  જિ. ભાવનગર

  • “પ્રત્યેક સાચા સાહિત્યકારની સર્જનયાત્રા ઉપનિષદયાત્રા હોવી જોઈએ. “   
  • જીવનઝાંખી

દાદાભાઇ નવરોજી  ની પુણ્યતીથી -  1917, મુંબાઇ

શયદા ની પુણ્યતીથી -  1962, મુંબાઇ

  • “અર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.” 
  • જીવનઝાંખી

Posted in કેલેન્ડર | No Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 29, 2007

બહુ ઓછી જીભ પર પ્રેમ શબ્દ ફર્યો છે.
બાકી તો જીભ જ એ શબ્દ પર ફરી વળી છે.

Posted in ચાંદરણા | 1 Comment »

29 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 29, 2007

યશોધર મહેતા  ની પુણ્યતીથી -  1989

_________________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

માબાપ ના મળશે કદી - નીરજ

Posted by સુરેશ on June 28, 2007

બહુ વાત કરતા લોક સૌ, અહીંયા જુઓને પ્રેમની,
કહો કોણ જાણતું એ બધી, વાતો ખરે છે વ્હેમની.

આંખોથી આંખો જો લડે, સમજે નીશાની પ્રેમની
એ નીશાનીઓ મહીં, સઘળું લુટાવ્યું સ્હેલથી.

જાન લેવા પ્રેમમાં, દેવા ય પણ તૈયાર છે .
જીંદગી મળતી નથી, કંઇ કોઇના યે ર્ હેમથી..

છોડીને વીસરી જતા માબાપને જે પ્રેમમાં
નાસમજ ! સમજી લીયો માબાપ ના મળશે કદી

નીરજ 

Posted in ગઝલ, નીરજ વ્યાસ | No Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 28, 2007

ગરીબ વૈજ્ઞાનીક કચરામાંથી ખોરાક શોધે છે.

Posted in ચાંદરણા | No Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 27, 2007

ફુલની પ્રતીશ્ઠા એની સુગંધ છે.
એનો બોજ એને કચડી નાંખતો નથી.

Posted in ચાંદરણા | No Comments »

27 - જુન - વ્યક્તીવીશેષ

Posted by સુરેશ on June 27, 2007

ધીરુભાઇ ઠાકર - નો જન્મદીન -  1918, કોડીનાર

  • ” હજારેક વર્ષ પહેલાં આપણા પુર્વજો જે ભાષા બોલતા તે અપભ્રંશને મળતી આવતી ભાષા હતી. ” 
  • જીવનઝાંખી

રામપ્રસાદ બક્ષી નો જન્મદીન -  1894, જુનાગઢ

વીનેશ અંતાણી નો જન્મદીન -  1946, દુર્ગાપુર

  • “વાત્સલ્ય શબ્દનો કોઇ ડીક્ષનેરીમાંથી સાચો અર્થ તેને ‘જોવાથી’ મળી શકેશે નહીં.
    એ શબ્દનો સાચો અર્થ તો વાછરડાને પોતાની જીભથી ચાટી રહેલી ગાયના દ્રશ્યમાંથી જ અનુભવી શકાય. “ 
  • જીવનઝાંખી

______________________________________________________________

Posted in કેલેન્ડર | No Comments »

આખરે ખબર પડી - રુચા જાની

Posted by સુરેશ on June 27, 2007

ગગને ઉડીને ગુંજવા દીલના ઘણા અરમાન હતા.
પણ પાંખો કાપી લઇ લીધી, એ નસીબનાં ફરમાન હતા.

અમે ધીરે ધીરે ભળી ગયાં તારા મનના એ વમળ મહીં,
પણ ચાંપતી નજરો લઇ દરીયે ઉભા દરવાન હતા.

તમે આવ્યા આંસુને લુછવા, તુટેલા નાતાને સાંધવા,
પણ ઘાવ જે જીગરે પડ્યા, એ તમ કીધાં અપમાન હતા.

ભવરણભુમીમાં ઝઝુમતાં, અમે વજ્ર જેવા કઠણ થયા,
નબળાઇઓ ખુદની જડી, એ શ્રાપ કે વરદાન હતા.

અમે શોધવા તમને ગયાં, મંદીર અને મસ્જીદ મહીં,
પણ આખરે પડી એ ખબર, તમે અંતરમાં યજમાન હતા.

- રુચા જાની

Posted in Uncategorized | 4 Comments »

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on June 26, 2007

સૌરાષ્ટ્રમાં ભાભા તો ઘણા છે
પણ અણુ રીએક્ટર એક પણ નથી.

Posted in ચાંદરણા | 1 Comment »