તુ ના’વી મારી પાસ- રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on June 23, 2007
કાલની તો આજ થઈ,
ને આજની થશે ય કાલ;
છતાં તુ ના’વી મારી પાસ.
આમાં ને આમાં
મારી આંખો બીડાઈ ગઈ,
ખુલતાં શું થાશે પ્રભાત !
મળવા તને હું જીવું
આખાયે જીવન ભર,
પલકોને ખુલતાં ના વાર,
છતાં તુ ના’વી મારી પાસ
- રાજેન્દ્ર ત્રીવેદી
ગીતાબેન ચેતજો! રાજેન્દ્રે તમને બતાવી લાગતી નથી આ કવીતા!!!
રાજેન્દ્ર મારો બહુ જ જુનો દોસ્ત - અમે મેટ્રીક પછી માત્ર એક વરસ સાથે ભણેલા. હું લોઢા લાકડાના વાઢકાપની લાઇનમાં પડ્યો અને રાજેન્દ્ર મગજના વાઢકાપની! આ ‘નેટડા’ના પ્રતાપે પીસ્તાળીસ વરસ પછી અમે ભેળા થીયા! એની આ પહેલી કવીતા છાપતાં મને આંખમાં હર્શાશ્રુ આવે છે. જોકે આમ તો તમે સૌ તેને ‘ હાસ્ય દરબાર ‘ વાળા ડો. રાજેન્દ્ર ત્રીવેદી તરીકે જાણો જ છો ! તમારી જાણ સારુ, રાજેન્દ્ર બોસ્ટનમાં ન્યુરો સર્જન છે- અને મગજની વાઢકાપ કરતાં તેના મગજનું હાસ્યકેન્દ્ર ખુલી ગયેલું છે. અને હવે કવીતાનું પણ ! તેમના સ્વર્ગસ્થ પીતા શ્રી. મુળશંકર ત્રીવેદી બહુ જ ભક્તીવાન હતા. તેમણે ઘણા ભજનો નીજાનંદ ખાતર લખેલા - જે તમે ‘ તુલસીદલ ‘ પર વાંચી શકશો.
બહુ જ આનંદી, મીલનસાર અને ખુલ્લા દીલના રાજેન્દ્ર પાસેથી આપણે આશા રાખીએ કે, આપણને કવીતાઓનો અને હાસ્યનો ખુબ ખુબ આસ્વાદ કરાવતા રહે.
Posted in અછાંદસ, રાજેન્દ્ર ત્રીવેદી | 16 Comments »