કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

તુ ના’વી મારી પાસ- રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on June 23, 2007

કાલની તો આજ થઈ,
ને
આજની થશે ય કાલ;
છતાં તુ  ના’વી મારી પાસ.

આમાં ને આમાં
મારી આંખો બીડાઈ ગઈ,
ખુલતાં શું થાશે પ્રભાત !

મળવા તને હું જીવું 
આખાયે જીવન ભર,
પલકોને ખુલતાં ના વાર,

છતાં તુ ના’વી મારી પાસ

- રાજેન્દ્ર ત્રીવેદી

        ગીતાબેન ચેતજો! રાજેન્દ્રે તમને બતાવી લાગતી નથી આ કવીતા!!!        

       રાજેન્દ્ર મારો બહુ જ જુનો દોસ્ત - અમે મેટ્રીક પછી માત્ર એક વરસ સાથે ભણેલા. હું લોઢા લાકડાના વાઢકાપની લાઇનમાં પડ્યો અને રાજેન્દ્ર મગજના વાઢકાપની!  આ ‘નેટડા’ના પ્રતાપે પીસ્તાળીસ વરસ પછી અમે ભેળા થીયા! એની આ પહેલી કવીતા છાપતાં મને આંખમાં હર્શાશ્રુ આવે છે. જોકે આમ તો તમે સૌ તેને ‘ હાસ્ય દરબાર ‘ વાળા ડો. રાજેન્દ્ર ત્રીવેદી તરીકે જાણો જ છો ! તમારી જાણ સારુ, રાજેન્દ્ર બોસ્ટનમાં ન્યુરો સર્જન છે- અને મગજની વાઢકાપ કરતાં તેના મગજનું હાસ્યકેન્દ્ર  ખુલી ગયેલું છે. અને હવે કવીતાનું પણ ! તેમના સ્વર્ગસ્થ પીતા શ્રી. મુળશંકર ત્રીવેદી બહુ જ ભક્તીવાન હતા. તેમણે ઘણા ભજનો નીજાનંદ ખાતર લખેલા - જે તમે ‘ તુલસીદલ ‘ પર વાંચી શકશો.

     બહુ જ આનંદી, મીલનસાર અને ખુલ્લા દીલના રાજેન્દ્ર પાસેથી આપણે આશા રાખીએ કે, આપણને કવીતાઓનો અને હાસ્યનો ખુબ ખુબ આસ્વાદ   કરાવતા રહે.

16 Responses to “તુ ના’વી મારી પાસ- રાજેન્દ્ર ત્રીવેદી”

  1. Rajendra Trivedi, M.D. Says:

    ભાઈ સુરેશ,

    આતો,
    યાદ ને વિરહ ભેગા થયા.
    મારા મગજ ના કેન્દ્રમાં લાગી આગ,
    સરી પડયા શબ્દ આસું બની આ કાવ્યમાં,
    મારા મન ને શાંત કરવા….
    ને આવ્યા તારી પાસ.
    મને મોટો મા કર કહી ન્યુરો સરજન,
    હવે તો છું મગજનો ડોકટર,સાયકાએટરીસ્ટ.
    આતો તાર કહેવાથી આ ઇન્ટરનેટ પર,
    માંડયો છું લખવા તું વાંચ !!

    રાજેન્દ્ર

  2. shivshiva Says:

    શું ખુલ્લી આંખે પણ ઉભેલા ગીતાબેન ન દેખાણા પાસ?

    ગીતાબેન શું વાત છે? જોજો સર્જન કરતાં કોક કવિતા યાદ આવશે તો દરદીની નસો પણ હાસ્ય નસોમાં બદલાઈ ન જાય!!!!!!!!!!!

  3. Jugalkishor Says:

    સુરેશભાઈ,
    તમારું “કાવ્યસુર”નું સંગીત નેટજગતને અવનવીન વ્યક્તીત્વોના સમુહગાન તરફ લઈ જઈને અનેક સંતાયેલાં સુરોને ખેંચી લાવશે !!
    સારું કર્યું તમે આ નવોદીતોનો ( રાજેન્દ્રભાઈને તો નવો.પણ કહેવાશે નહીં) એક સાથે મુકામ કરાવ્યો છે આ “કાવ્યસુર”સંગમમાં.

    જોકે સરખામણી બરાબર ભલે નથી પરંતુ ‘કુમાર’ના બચુભાઈ રાવતે જે કાર્ય કર્યું અનેક કવીઓને સર્જવા-ઘડવાનું તેવું જ કંઈક આ “કાવ્યસુર”નું કહું તો કસમયનું તો નથી જ.આને વધુ ને વધુ નવોદીતોથી સભર કરો અને શણગારો એવી આશા-અપેક્ષા છે.

    રાજેન્દ્રભાઈનું સ્વાગત !

  4. Harnish Jani Says:

    Daktar, Tame to Sarjan chho ke
    Visarjan?

  5. नीशीथ ध्रुव Says:

    मारा सह-व्यावसायीकोने भाषामा रस लेता जोईने गर्व अनुभवुं छुं. सुरेशभाई, आ ब्लॉग माटे तमने धन्यवाद!
    नीशीथ

  6. સુરેશ જાની Says:

    બચુભાઇ રાવત અને કુમાર ક્યાં અને હું અને કાવ્યસુર ક્યાં ? !
    ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ?
    કુમારની બુધસભામાં તો ગુજરાતની મોટી મોટી હસ્તીઓ ઘડાઇ છે. ‘કુમાર’ માં કવીતા છપાય તે હોલમાર્ક ગણાતો.

  7. chetu Says:

    nice to know that…congrats to both of u..!

  8. Jugalkishor Says:

    મેં સરખામણી કરવા ખાતર કરી છે. પણ હેતુ તો હજી એ જ છે કે આ કાર્યને સરખાવવું હોય તો તે કાર્યની સાથે જ. તમે બ.રા. નથી, ભલે. પણ તમારો બ્લોગ નવોદીતો માટે એક નવી શરુઆતનો બની ‘રહ્યો’ છે તેનું
    શું ? એવો સંકોચ શા માટે ?

    કાલે આ કાર્યની ગુણવત્તા “વધશે” અને “સમજાશે” અને સૌનો સહકાર હશે તો “સ્થપાશે” પણ ખરી.

    હજી વીદ્વાનો આપણા આ નાનકડા કાર્યમાં ભળ્યા જ નથી. તેઓ પણ ખેંચાઈને આવશે અને તમારા કવીઓને મદદરુપ બનશે. આપણું ગજુ ભલે નાનુ છે પણ મસ્તક કે નીશાન નીચું નથી !

  9. sunil Shah Says:

    ડૉકડર સાહેબ, સારી શરુઆત સાથે પધાર્યા છો…આવતા રહેજો, મુ.સુરેશભાઈને ૪૫ વર્શે મળ્યા તેવું અમારા
    જેવા વાચકો સાથૈ ન કરતાં..બોલો આપો છો પ્રોમીસ?

  10. Ratilal Chandaria Says:

    સુરેશભાઈ તમે મને સવીતા વાંચતો કર્યો. મઝા આવી ગઈ.
    રતીભાઈ

  11. Rajendra Trivedi, M.D. Says:

    સરજન થી વિસરજન થાય દુ:ખનુ.

    યાદ ને વિરહ તણુ.

    મન વાતો કરી શોધે કવિતા.

    મન મન્થનથી માણે નિપજેલ કવિતા…. રાજની.

    બધા વાંચો આ જગત ભર.

    સરજન છુ ને વિસરજન કરું દુ:ખનુ.

    રાજેન્દ્ર

  12. Harnish Jani Says:

    Wah Wah Mara Kavi !!

  13. Ullas Oza Says:

    Dr. Rajendra-ji ne kamal kar diya.

    Neurologist vichare chhe ke Anesthesia vadhero nathi apay gayo ne !
    Good - It isnpires others - hope me too - to write something !

    Hasavta Raho - All the best.

  14. વિવેક Says:

    સુંદર કવિતા…

    અભિનંદન, રાજેન્દ્રભાઈ…. આમ પહેલી નજરે જોઈએ તો આખી કવિતા અછાંદસ લાગે પણ ધ્યાનથીએ વાંચીએ તો ગીતોના છંદની ઘણી નજીક નજીક પહોંચી ગઈ છે આ કવિતા…

    આમાં ને આમાં
    મારી આંખો બીડાઈ ગઈ,
    ખુલતાં શું થાશે પ્રભાત !

    -આ આખા અંતરામાં છંદ યોગ્ય જળવાયો છે…

  15. Rucha Jani Says:

    Welcome RajuKaka! Tame pan amari Naat maa jodai gaya.

  16. pradip Says:

    wonderful attempt
    Suresbhai e kavita no ’saresh’ tamne pan lagavi didho!

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>