સદીઓથી નદીએ વસે છે જીવન.
જલતરંગો બનીને હસે છે જીવન.
ઉછળતાં સાગરના સ્નેહને સાંનીધ્યે.
કીનારે ઉભેલ પથ્થરો ઘસે છે જીવન.
ફુંકાય કદીક જો પ્રલયનું વંટોળીયું.
તો એકમેકને સહારે શ્વસે છે જીવન.
રગદોળો ભલે ભવસાગર આખેઆખો.
કુણી લાગણીઓ વીના ડસે છે જીવન.
છોડો નફરત તણા આ લંગરો હવે.
મીલનની આશમાં તો વસે છે જીવન.
- સુનીલ શાહ
જીવન શું છે તે હજી સુધી કોઇ ફીલસુફી કે વીજ્ઞાન સમજી શક્યું નથી. તેને માટે અનેક પરીકલ્પનાઓ જરુર થયેલી છે. સુનીલભાઇની આ પરીકલ્પના મને ગમી.