કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

સપનાનો રાજા - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on July 11, 2007

સુતાં તો સપને મળું, જાગુ તો મનમાંહી,
જાગીને જોયા કરું પીયુ દીસતો નાહી.

મુંઝાઈને મને માંડ્યા સરવા છુપા કાન,
તો પણ સંભળાયું નહીં સુંદર તારુ નામ.

ગભરાઈને બોલવા જીભે કરી ધમાલ,
શબ્દ એક પણ ના સુઝ્યો વર્ણવવાને આજ.

એવું શું મુજને કર્યું,  વીરહઝુરંતી આજ,
શીદને તું ચાલ્યો ગયો સપનાઓની સાથ.

હાય અભાગણ! મુજ જીવનમાં સપનાનું છે રાજ,
સુતાં તો સપને મળું, જાગ્યાં કેમ ન નાથ? 

- રાજેન્દ્ર ત્રીવેદી

         મેં રાજેન્દ્રની પહેલી કવીતા અહીં પ્રસીધ્ધ કરી ત્યાર બાદ આ તેની ચોથી કવીતા છે. તેની રચનાઓનું ધ્યાનથી નીરીક્ષણ કરીએ તો, અત્યંત સ્પષ્ટ રીતે સર્જનની પાકટતા પુષ્ટ થતી જણાશે.

         રાજેન્દ્રને આ માટે મારા અંગત અભીનંદન. મારા પ્રીય મીત્ર ! આ યાત્રા હવે ચાલુ જ રાખજે. મુળજી ભગતનો વારસો તારે સાચવવાનો છે.

           અન્ય સૌ નવોદીત કવીઓને વીનંતી કે તમે શરુ કરેલી ભાવ- અભીવ્યક્તીની યાત્રા અટક્યા વીના ચાલુ જ રાખજો. પ્રસીધ્ધી કે વાહ વાહ મળે કે ન મળે; પણ જ્યારે આપણે સર્જનની પ્રક્રીયાના પ્રવાસી બનીએ, ત્યારે આપણી અંદરની યાત્રા પણ જાણે-અજાણે શરુ થઇ જતી હોય છે. આપણા ભાવજગતના  પ્રચ્છન્ન પ્રદેશો ધીરે ધીરે આપણી આગળ ખુલતા જાય છે. અને એ અંદરની યાત્રાનો અનુભવ એક અદ્વીતીય અનુભવ હોય છે.

5 Responses to “સપનાનો રાજા - રાજેન્દ્ર ત્રીવેદી”

  1. વિવેક Says:

    સુંદર રચના…

  2. chetu Says:

    congrats to Rajendrabhai… N Dada.!

  3. sunil shah Says:

    very..nice..!

  4. Pancham Shukla Says:

    Nice poem.

    The first stanza helped me to recollect one of my favourite song on Tahuko:

    http://tahuko.com/?p=377

    This poem takes this poweful line to different stage with new words and expressions.

  5. મગજના ડોક્ટર Says:

    AS A CHILD, I CAME IN CLOSE CONTACT WITH MANY SAINT AND THINKERS AND PHILOSOPHERS.
    THE OUT OF MANY THE ONE STAYS IN MY HEART IS MY MOTHER AND FATHER.
    MY MOTHER WHO SANG BHAJANS OF MY FATHER,RAMAYAN, AND BHAJANS OF PUNIT MAHARAJ,KABIR MIRA ECT.
    THANKS TO MY PARENTS WHO CONNECTED ME WITH SELF REALIZED SOULS LIKE
    PUJYA RAJARAM SHSTRIJI,MANAS MARMAGNAYA KAPINDRAJI RAMAYANI OF NEW DELHI, DAMODAR DATT SHSHTRIJI, KRISNASHANKER SHASTRIJI OF SOLA AND SHANKARACHARYA OF DWARAKA. BHOLEBABA,YOGESWARJI, PRABHUDATT BHRAMACHARIJI OF ZHUNSI PARAMHANS YOGANAND AND ANANDI MAYI MA……
    AFTER, HEARING TO DAYABIDA PARAVIN,I WAS BACK IN ‘1945…..
    LISTEN ON,
    http://tahuko/p=377

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>