મનડુ મુઝાયું - રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on July 13, 2007
મનડું મુઝાયું ને આતમ ગભરાયો,
ક્યાંથી આવ્યો આ અંધકાર?
‘મુંઝા મા મારગમાં સહેજે ઓ દીલડા!’
અંતરમાં ઉભર્યો અવાજ.
દીવડો પ્રગટતાં, દુર થાય અંધાપો,
રાજી થાય આતમરામ.
અંતરના આતમને સમરી લે નીશદીન,
જાશે આ સુખ-દુખના ત્રાસ.
જ્ઞાન દીપ પ્રાગટ્યે નાશ થાય અંધાપો,
સુખ દુ: ખના થાશે વીરામ.
માટે રટી લે ઓ! અજ્ઞાની જીવડા
વ્હાલું આ નામ સીતારામ.
- રાજેન્દ્ર ત્રીવેદી
( તાજેતરમાં કરાવેલા ગ્લુકોમાના ઓપરેશન પહેલાંની વ્યથા અને અંતરનો પ્રતીસાદ. )
July 14, 2007 at 2:16 am
અંતરના પ્રતીસાદમાં હંમેશા સચ્ચાઈ–વાસ્તવીકતાનો રણકો હોય છે.મુ.રાજેન્દ્રભાઈની આ રચનામાં એ દેખાઈ આવે છે.
માણસ વાસ્તવીકતાનો સ્વીકાર કરીલે તો દુનીયાના મોટાભાગના દુઃખ દુર થઈ જાય. ખુબ સરસ રચના.
July 22, 2007 at 12:55 pm
[...] મનડુ મુઝાયું - રાજેન્દ્ર ત્રીવેદી [...]
July 31, 2007 at 7:22 am
LIVE HERE AND NOW IS THE MOTO FOR DR. TRIVEDI-
HE IS MY BEST TEACHER,FRIEND, LOVE AND LIFE PARTNER.