ભુતકાળ ની લાય – રાજેન્દ્ર ત્રીવેદી

સૌ જીવે ભમી ભુતકાળ,
ના તેમાં કોઈ સાર.
વાત વાતમાં સરકી જઈને
આજ ન થાતાં કોઈ કામ.

સુખના દાડા, દુ:ખના દાડા,
નીશદીન સૌની સાથ.
સાંભળતા કાન નીરસ,
આંખલડી જોતી સાથ.

ના મનડું માને આજ,
એથી જ આ ઉચાટ.

ઝગડા થાતા, મન ગભરાતા,
સાથે રહીને દુર થઈ જાતા.
ના બોલાના વ્રત લેવાતા,
ઘરમાં રહીને વન દેખાતા.

આ દુ:ખ કેરી છે વાત,
સૌ સમજી બોલે સાથ.
છોડી દો સૌ ભુતકાળ,
ને જીવો નીશદીન આજ.

એ કરશે સારા કામ,
જીવનમાં રાખો હામ,
જોતાં સૌને રુદીયે રામ,
થાતા સૌના મન આરામ.

- રાજેન્દ્ર ત્રીવેદી

2 Responses to “ભુતકાળ ની લાય – રાજેન્દ્ર ત્રીવેદી”

  1. Rajendra Trivedi, M.D. Says:

    LEARN FROM THE PAST,
    LIVE HERE AND NOW,
    KEEP THE TRUST ALIVE,
    WHO KEEPS YOU ALIVE…THY.
    CHANTING THE NAME OF THY,
    WORKING DAY AND NIGHT
    KEEPING PEACE IN THE HEART,
    ONE GETS PEACE WITH OTHERS.
    SO,I LIKE THIS POEM,

    એ કરશે સારા કામ,
    જીવનમાં રાખો હામ,
    જોતાં સૌને રુદીયે રામ,
    થાતા સૌના મન આરામ.

    - રાજેન્દ્ર ત્રીવેદી

  2. pragnaju Says:

    હતાશ થયેલાdepression જીવે ભૂતકાળમાં,ધખારાવાળાmaniac જીવે ભવિષ્યમાં, કૃપા પામેલા જીવે વર્તમાનમાં સ્નેહનું સાધન બનાવી,ક્ટુતા છોડી અને ગુણનું નિવેદન કરી!


Leave a Reply