કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

કોને ખબર?- સુરેશ જાની

Posted by સુરેશ on August 20, 2007

મીત્ર આવા ખોખલા કોને ખબર?
પ્રીત આવી પાંગળી કોને ખબર?

રુપને વળગી રહ્યા ને સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?

દીલ તણા ભાવો ન જાણ્યા, શબ્દને પકડી રહ્યા,
ફેરવી ચહેરો છુપ્યા, કોને ખબર?

કાળના આ ગર્ભમાં ભંડારીને મારા ખુદા!
સાચવ્યું બસ આટલું? કોને ખબર?

માંહ્યલો મુંઝાય છે કે, આમ બનતું શેં ભલા?
સાચને યે આંચ છે, કોને ખબર?

- સુરેશ જાની

———————————————–

પરમ પ્રીય મીત્ર શ્રી. જુગલકીશોર વ્યાસે બહુ પ્રેમથી આ ગઝલને સુધારવા સુચનો આપ્યાં હતાં. તે ધ્યાનમાં રાખી આ ગઝલ નીચે મુજબ  મઠારી છે :-

મીત્રતા સૌ ખોખલી, કોને ખબર?
પ્રીત આવી પાંગળી, કોને ખબર?

રુપ રાખી, સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?

દીલ ન જાણ્યું, શબ્દને  વળગી રહ્યા, 
ફેરવી ચહેરો છુપી, કોને ખબર?

કાળના ગર્ભે ભર્યું છે કેટલું,
સાચવી બસ માટલી? કોને ખબર?

માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
સાચને આંચ આવતી? કોને ખબર?

9 Responses to “કોને ખબર?- સુરેશ જાની”

  1. mahendra panchal Says:

    બહુ જ સાચી વાત.

  2. મગજના ડોક્ટર Says:

    WHEN I READ YOUR POEM I WAS THINKING OF GREAT RADHA KRASHNA LOVER POET DAYARAM OF GUJARAT ….

    ચિત્ત તું શીદને ચિંતા ધરે?
    તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
    ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
    થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
    જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
    એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે
    તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
    આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે
    થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
    રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે.
    દયારામ

  3. જુગલકીશોર Says:

    તમે સાચે જ એક સરસ રચના આપી.

    ‘સાચનેયે આંચ છે, કોને ખબર ?!’
    વાહ !

  4. સુનીલ શાહ Says:

    આમ જ બનતું આવ્યું છે જીવનમાં
    સંબંધો આમ સચવાય?કોને ખબર..?
    સંબંધોના બંધો તોડનારા એ મીત્રો
    મીત્રો કહેવાય? કોને ખબર..?

  5. Chirag Patel Says:

    દાદા, દર્દ પુરેપુરું નીપજાવ્યું છે!

  6. jagruti valani Says:

    સરસ

  7. Pinki Says:

    માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
    સાચને આંચ આવતી? કોને ખબર?

    khub j saras…………..

  8. pragnaju Says:

    મારી દિકરીની કાવ્યની પંક્તિ -
    તેના અજીકના ભવિષ્યમાં બહાર
    પડનાર પુસ્તકમાંથી…

    તમારા તમારા તમારા અમે તો
    કહ્યું તો ખરૂં તો ય ધરપત નથી ને?

  9. DR. CHANDRAVADAN MISTRY Says:

    SURESHBHAI…..NAMASTE….THE POLISHING OF YOUR GAZAL IS OKAY..BUT YOUR CREATION IS EXCELLENT….IT IS YOU WHO OPENED UP YOUR HEART & THE WORDSWERW ON THE PAPER…..CONGRATS>>>DR. CHANDRAVADAN MISTRY (CM )

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>