મીત્ર આવા ખોખલા કોને ખબર?
પ્રીત આવી પાંગળી કોને ખબર?
રુપને વળગી રહ્યા ને સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?
દીલ તણા ભાવો ન જાણ્યા, શબ્દને પકડી રહ્યા,
ફેરવી ચહેરો છુપ્યા, કોને ખબર?
કાળના આ ગર્ભમાં ભંડારીને મારા ખુદા!
સાચવ્યું બસ આટલું? કોને ખબર?
માંહ્યલો મુંઝાય છે કે, આમ બનતું શેં ભલા?
સાચને યે આંચ છે, કોને ખબર?
- સુરેશ જાની
———————————————–
પરમ પ્રીય મીત્ર શ્રી. જુગલકીશોર વ્યાસે બહુ પ્રેમથી આ ગઝલને સુધારવા સુચનો આપ્યાં હતાં. તે ધ્યાનમાં રાખી આ ગઝલ નીચે મુજબ મઠારી છે :-
મીત્રતા સૌ ખોખલી, કોને ખબર?
પ્રીત આવી પાંગળી, કોને ખબર?
રુપ રાખી, સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?
દીલ ન જાણ્યું, શબ્દને વળગી રહ્યા,
ફેરવી ચહેરો છુપી, કોને ખબર?
કાળના ગર્ભે ભર્યું છે કેટલું,
સાચવી બસ માટલી? કોને ખબર?
માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
સાચને આંચ આવતી? કોને ખબર?
August 18, 2007 at 6:23 am
બહુ જ સાચી વાત.
August 18, 2007 at 2:41 pm
WHEN I READ YOUR POEM I WAS THINKING OF GREAT RADHA KRASHNA LOVER POET DAYARAM OF GUJARAT ….
ચિત્ત તું શીદને ચિંતા ધરે?
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે
તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે.
દયારામ
August 19, 2007 at 6:34 am
તમે સાચે જ એક સરસ રચના આપી.
‘સાચનેયે આંચ છે, કોને ખબર ?!’
વાહ !
August 19, 2007 at 9:47 am
આમ જ બનતું આવ્યું છે જીવનમાં
સંબંધો આમ સચવાય?કોને ખબર..?
સંબંધોના બંધો તોડનારા એ મીત્રો
મીત્રો કહેવાય? કોને ખબર..?
August 19, 2007 at 11:30 am
દાદા, દર્દ પુરેપુરું નીપજાવ્યું છે!
August 31, 2007 at 2:20 am
સરસ
September 4, 2007 at 11:04 pm
માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
સાચને આંચ આવતી? કોને ખબર?
khub j saras…………..
September 27, 2007 at 2:07 pm
મારી દિકરીની કાવ્યની પંક્તિ –
તેના અજીકના ભવિષ્યમાં બહાર
પડનાર પુસ્તકમાંથી…
તમારા તમારા તમારા અમે તો
કહ્યું તો ખરૂં તો ય ધરપત નથી ને?
October 6, 2007 at 10:37 am
SURESHBHAI…..NAMASTE….THE POLISHING OF YOUR GAZAL IS OKAY..BUT YOUR CREATION IS EXCELLENT….IT IS YOU WHO OPENED UP YOUR HEART & THE WORDSWERW ON THE PAPER…..CONGRATS>>>DR. CHANDRAVADAN MISTRY (CM )
February 3, 2009 at 3:38 pm
વાહ કોને ખબર,
કે આટલી સારી હશે ખબર.
આપની મનને સ્પર્શી જાય તેવી ગઝલ.
તેમાંય શ્રી જુગલકિશોરજીનું મોવણ મળે ,તો રસોઈ
સૌને ગમી જ જાય.
રમેશ પટેલ(આકાશદીપ)
February 3, 2009 at 4:17 pm
આમ જ બનતું આવ્યું છે જીવનમાં,
સંબંધો આમ સચવાય? કોને ખબર?
સંબંધોના બંધો તોડનારા,
એ મીત્રો મીત્રો કહેવાય? કોને ખબર?
માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
સાચને આંચ આવતી? કોને ખબર?
કોને ખબર? કે આટલી સારી હશે ખબર!
Wait for February 21st….