જઠરાગ્ની - રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on September 2, 2007
ભુખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે,
જઠરરાગ્ની કાજે, જીવ જીવ મારશે.
જીવનને જરુરી ન હીંસા ઓ, સાથી!
જઠરાગ્ની માટે બન્યા માંસાહારી.
બની માંસાહારી, અહીંસાના સાથી,
સદા સાથ આપી બન્યા આતતાયી.
જીવન છે બધાનું નકી મૃત્યુ-આધીન,
સમય ને અહીંસા છે જીવનના સાથી.
છતાં જીવ ભુલી, રહ્યો છે ભટકતો,
ભટકતો અહીંયાં, અહીંસાને તજતો.
- રાજેન્દ્ર ત્રીવેદી
Posted in ગીત, રાજેન્દ્ર ત્રીવેદી | 2 Comments »