જઠરાગ્ની - રાજેન્દ્ર ત્રીવેદી
Posted by સુરેશ on September 2, 2007
ભુખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે,
જઠરરાગ્ની કાજે, જીવ જીવ મારશે.
જીવનને જરુરી ન હીંસા ઓ, સાથી!
જઠરાગ્ની માટે બન્યા માંસાહારી.
બની માંસાહારી, અહીંસાના સાથી,
સદા સાથ આપી બન્યા આતતાયી.
જીવન છે બધાનું નકી મૃત્યુ-આધીન,
સમય ને અહીંસા છે જીવનના સાથી.
છતાં જીવ ભુલી, રહ્યો છે ભટકતો,
ભટકતો અહીંયાં, અહીંસાને તજતો.
- રાજેન્દ્ર ત્રીવેદી
September 9, 2007 at 12:41 pm
LET US LIVE AND LET LIVE.
LIVE A NONVIOLANCE IS ALIFE LONG CHALLENGE.
TRY KNOWINGLY OR UNKNOWINGLY NOT TO HARM OTHERS.
LIKE AT THE END OF THE PARUSHAN MAHAPARVA JAIN SAY,
“MICHAMI DUKADAM!”
September 27, 2007 at 1:49 pm
ભુખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે,
તે દી ભસ્મની કણી ન લાધશે
જાણીતી પંક્તિઓને કેન્દમાં રાખી
સરસ કાવ્ય રચ્યું.
જઠરરાગ્ની કાજે જીવ જીવ મારશે,માંસાહારી બનશે,તેમાથી આતતાયી
એ વિજ્ઞાન પણ સ્વિકારે છે
તે સરળ સત્યનું સરસ નીરુપણ