કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

કોને ખબર - રાજેન્દ્ર ત્રીવેદી

Posted by સુરેશ on September 19, 2007

જન્મ્યા બાદ જીવાશે જીવન, કોને ખબર?
એકડો કરતા ભણાશે શું, કોને ખબર?

રમતાં ભણતાં પ્રેમ થાશે, કોને ખબર?
પ્રેમી સાથે લગ્ન થાશે કે કેમ, કોને ખબર?

લગ્નના બંધન તુટશે, કોને ખબર?
મ્રુત્ય પછી ક્યાં જશું, કોને ખબર?

જીવનમાં મરવાનું ક્યારે આવશે? કોને ખબર?
ગુજરાતી લખતા કાવ્ય થાશે, કોને ખબર?

- રાજેન્દ્ર ત્રીવેદી

2 Responses to “કોને ખબર - રાજેન્દ્ર ત્રીવેદી”

  1. sunil shah Says:

    આગીયામાંથી સુરજ થવાશે? કોને ખબર?
    માનવથી માનવ થવાશે? કોને ખબર?

    જે થાય તે, સાહેબ..નીષ્ઠા અને પ્રામાણીકતાપુર્વકના પ્રયત્નો ચાલુ રાખવા.

  2. Pragnaju Prafull Vyas Says:

    જન્મ્યા બાદ જીવાશે જીવન, કોને ખબર?
    એકડો કરતા ભણાશે શું, કોને ખબર?

    રમતાં ભણતાં પ્રેમ થાશે, કોને ખબર?
    પ્રેમી સાથે લગ્ન થાશે કે કેમ, કોને ખબર?

    લગ્નના બંધન તુટશે, કોને ખબર?
    મ્રુત્ય પછી ક્યાં જશું, કોને ખબર?

    જીવનમાં મરવાનું ક્યારે આવશે? કોને ખબર?
    ગુજરાતી લખતા કાવ્ય થાશે, કોને ખબર?-
    *****
    ખબર પણ ન પડી અને કાવ્ય થઈ ગયું!
    જીંદગીના દરેક સ્ટેજે સહજ આવતા વિચારોને
    વાચા આપવા બદલ રાજેન્દ્ર ત્રીવેદી
    અભિનંદન

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>