કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for November 16th, 2007

16- નવેમ્બર - વ્યક્તિવિશેષ

Posted by સુરેશ on November 16, 2007

ફિરોઝ દાવર નો જન્મદિન - 1892 :  અહમદ નગર    

જાણીતા પ્રોફેસર અને દાર્શનિક 

જીવનઝાંખી

શિવકુમાર જોશી નો જન્મદિન - 1916  :  અમદાવાદ  

 shivkumar_joshi_1.jpg

 -  જીવનઝાંખી

-  જાણીતા નાટ્યકાર અને વાર્તાલેખક

_______________________________________________

જો તમારે કોઇ કોમેન્ટ આપવી હોય તો જે લીન્કો આપી છે તે સાઇટ કે બ્લોગ પર આપશો.

Posted in કેલેન્ડર | Comments Off

આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’

Posted by સુરેશ on November 16, 2007

બેકાર હોવું એ સૌથી સીરીયસ જોબ છે.

Posted in ચાંદરણા | 1 Comment »

ગામની છોરી- વીજેશ શુક્લ

Posted by સુરેશ on November 16, 2007

ગાલગા ગાલગા ગાલગા ગાલગા
————————————-

વાદળો આજ તો આભની ઓતરે,
મોર તો ગ્હેકતો ગામને ચોતરે.

કુંપળો ફુટી છે, બાગમાં છોડવે,
ઢેલને સાદ છે, મોરનો ટોડલે.

છોરી તો ફુલના હાર જો પોરવે,
પ્રેમની યાદમાં ઘાવ તો ખોતરે.

ઝાડવાં ઝુમતાં ગામને ગોંદરે.
વાછડાં ભાંભરે, સીમના ખોરડે.

ભુમી પર જો પડે યાદની ઠોકરે
લોક વાતું કરે, ગામને ચોતરે.

- વીજેશ શુક્લ

     વીજેશને છંદબદ્ધતા સારી કોઠે પડી ગઈ છે, તે બહુ જ આનંદની વાત છે. કાવ્યસર્જનમાં પ્રેરણા અને કલ્પના જેટલું જ માહાત્મ્ય પરીશ્રમનું છે; તે નવોદીતો હમ્મેશ યાદ રાખે. સારી રચના કરતાં થવું હોય તો, છંદમાં જ લખવાનો આગ્રહ રાખવો જોઈએ. નહીં તો  મુક્ત સ્વૈરવીહાર માટે ગદ્યલેખન એ વધુ સારો અને સહેલો વીકલ્પ છે - મારી જેમ!

    આ રચનાને ગઝલ કહેવાય કે નહીં તે ચર્ચાનો વીશય છે. પણ, તેની ગેયતા વૈશ્વીક છે.

    આપણા સંસ્કૃત છંદોમાં ‘ સ્રવીણી ‘ છંદની પણ આ જ માત્રાઓ હોય છે. [  ર ર ર ર ]

મારું એક કવીતડું - ‘ સ્રવીણી ‘ અને શુદ્ધ શૃંગારરસમાં વાંચવા અહીં ક્લીક કરો  -

Posted in ગીત, વીજેશ શુક્લ | 3 Comments »