કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'ઋચા' Category


एक फुलकी खुश्बु है - ऋचा जानी

Posted by સુરેશ on June 20, 2007

एक फुलकी खुश्बु है, गमभरी कहानी है।
न लीखी ये कीताबोमें, कीसी दीलकी जुबानी है ।

शाम होते सताती है, तेरी याद धुंआ बनके,
आंसुसे हुइ जो गीली तेरी याद जलानी है।

जग रंग बदलता है, कौन अपना पराया है,
अपनोंके हाथों पर मेरे खुनकी नीशानी है ।

न तो पुरा उजाला है, न तो पुरा अंधेरा है,
शायद है वो ही तो, वजह ये शाम सुहानी है ।

आसमां पर बीठाती है, तो कभी गमके अंधेरेमें,
अच्छा कीया कुदरतने, दो दीनकी जवानी है ।

हुइ क्या है खता मेरी कि, तुम इतने रुठ गये,
आज पुछती है राज तुम्हें, ये बात बतानी है।

घनघोर अंधेरा है, कोइ राह नहीं दीखती,
कल होगा सवेरा, फिर ये आस टीकानी है !

ऋचा जानी

Posted in ઋચા, ગઝલ | 18 Comments »

ધરા - સુરેશ અને રુચા જાની !

Posted by સુરેશ on May 27, 2007

શાર્દુલવીક્રીડીત
ગણ - મ સ જ સ ત ત ગા
રાગ - ઉગે છે સુરખી ભરી રવી મ્રુદુ , હેમંતનો પુર્વમાં.
——————————————————————
પોશ્યાં તેં તરુ, જીવ, જંતુ, ખગ ને પાણીતણાં જીવ સૌ,
હીરા, માણીક, પોખરાજ જનમ્યા તારા જ મા, ગર્ભમાં.
કારુણ્યે નીજ અંકમાં ઝીલી લીધી તેં રે! દુખી જાનકી,
ગાઉં  હું ગુણગાન કેવી રીતથી, તારાં ધરા માવડી.
——————————————————————

હું આજે સવારે આવું કાંઇક લખવા વીચારમગ્ન થઇ બેઠો હતો ત્યાં મારી દીકરીએ મને પુછ્યું - ‘પપ્પા! કેમ કંઇ ચીંતામાં છો?’
મેં મારી વ્યથા કે પ્રસવવેદના જણાવી !
પછી તે મારી મદદે આવી અને આ રચના અમારા સંયુક્ત પ્રયત્નોથી સર્જાઇ ગઇ!!! અને વળી મારા ગુરુજી શ્રી. જુગલકીશોર વ્યાસની  સમયસરની ટીપ્પણીથી થોડી વધારે વ્યવસ્થીત પણ બની. આભાર ગુરુજી !

પ્રથમ વાર  26, મે, 2007 ના રોજ  ‘ સર્જન સહીયારું’ પર પ્રકાશીત

Posted in ઋચા, શ્લોક, સુરેશ | 1 Comment »

આજ- રુચા જાની

Posted by સુરેશ on April 30, 2007

ભુત અને ભવીશ્યના બે ખીલા પર,
લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું.

ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ,
નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે
બે ચાર ખુશી- તોરણ.

ભવીશ્ય પર છે રંગીન મેઘધનુશ્યો,
અગણીત મહેચ્છાઓ અને શેખચલ્લી-સપના,
અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર.

‘આજ’માં છે મીશ્રણ બન્નેનું
’આજ’માં છે સંઘર્શ.
‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો
તે ‘ગઇકાલ‘ બની જાય છે.
કલ્પનાની સોનેરી ઉશામાં વીહરતાં ‘આજ’
‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે.

તેથી જ ક્યારેક ‘આજ’
નીરસ અને નીર્જીવ લાગે છે.

‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
પણ ગઇકાલ, આજ અને આવતીકાલ
મળીને તો જીવનરેખા બને છે.

રુચા જાની

મારી દીકરીનો મારી વીચારધારા સાથેનો સંઘર્શ!  અને હમ્મેશની જીભાજોડી!
આ પણ ‘આજ’ છે !  કાલે હું પણ આમજ વીચારતો હતો !

“એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. “

-  અમૃત ‘ઘાયલ’

Posted in ઋચા | 1 Comment »

ફરિશ્તો

Posted by સુરેશ on July 4, 2006

કાળઝાળ લૂથી તપ્ત
રાહ પર ચાલતાં
ત્રાસી ગયેલા રાહીએ
ખુદાને પૂછ્યું-
”ઓ, પરવરદીગાર!
મને ક્યાંક તો છાંયો આપ.” Read the rest of this entry »

Posted in ઋચા, જાની કુટુંબ | 3 Comments »