મુક્તક- સુનીલ શાહ
Posted by સુરેશ on November 15, 2007
(૧)
હોય શ્રધ્ધાની કહાણી, ત્યાં તમે પણ આવજો,
ડોક માદળીયાં ટીંગાવી, ગાલ રાતો રાખજો.
રામને નામે તમાશો, ને તમાશે છે ખુદા,
છેતરાયા તો ખરા, પણ સ્મીત મોઢે લાવજો.
(૨)
પખાળી ચરણને, એ પીએ છે પાણી,
ડબલ એકના આમ ક્યાં થાય છે!
ભણેલા અભણની કતારો થકી
પ્રદુષીત વીચારો જ ફેલાય છે.
- સુનીલ શાહ
રેશનલ વીચારોને ઉજાગર કરતાં આ બે મુક્તકો ચંગળાવવાં ગમે તેવાં છે.
Posted in મુક્તક, સુનીલ શાહ | 2 Comments »