એક જાહેરાત
Posted by સુરેશ on July 21, 2007
આજથી આપ સૌ અહીં અને મારા અન્ય બ્લોગ ઉપર તમારા પ્રતીભાવ આપી શકો છો. સુરીચીનો ભંગ ન કરે તેવી કોમેન્ટ પ્રસીધ્ધ કરવામાં આવશે.
Posted in સમાચાર | No Comments »
Posted by સુરેશ on July 21, 2007
આજથી આપ સૌ અહીં અને મારા અન્ય બ્લોગ ઉપર તમારા પ્રતીભાવ આપી શકો છો. સુરીચીનો ભંગ ન કરે તેવી કોમેન્ટ પ્રસીધ્ધ કરવામાં આવશે.
Posted in સમાચાર | No Comments »
Posted by સુરેશ on July 15, 2007
મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે 1919 ની સાલમાં જન્મેલા આદરણીય, મુક્ત મનના, વયોવૃધ્ધ શ્રી. રતીલાલજીએ ( ’અનીલ’ ) બહુ ઉદાર મન રાખીને, સામાન્ય જનોને સરલતાથી દોષરહીત લખવાની સુવીધા કરી આપતી, સાવ નાના ફેરફારવાળી ઉંઝા જોડણીમાં તેમની રચનાઓ નેટ પર પ્રસીધ્ધ કરવાની અનુમતી આપી છે.
તેમનો ખુબ ખુબ આભાર. આજથી ચાંદરણા અહીં ફરીથી પ્રસીધ્ધ કરવામાં આવે છે. હવે મને ગમી ગયેલા કોઇક ચાંદરણાનો અર્થવીસ્તાર પણ સાથે આપવા કોશીશ કરીશ.
આ જ રીતે આ સાચી દીશાના, હકારાત્મક અને લખાણમાં બહુ જ નાના ફેરફારને ઉત્તેજન આપવા, સર્વે જાણીતા, અત્યંત માનનીય અને લોકલાડીલા લેખકોને નમ્રતા સાથે વીનંતી કે, જનહીતાય તેમની રચનાઓ ઉંઝા જોડણીમાં નેટ ઉપર પ્રસીધ્ધ કરવા પરવાનગી આપે અને અદના માણસોને ભુલરહીત ગુજરાતીમાં લખવા પ્રેરે. ધીરે ધીરે આવા પ્રયાસોથી મારા જેવા ઘણાની વાંચવાની સુગ પણ દુર થશે.
મારું ઇમેલ સરનામું નોંધી લેશો - sbjani2006@gmail.com
Posted in સમાચાર | 4 Comments »
Posted by સુરેશ on May 18, 2007
ઉર્મી અને મારી ભાવનાને માન આપી બ્લોગર ભાઇ બહેનોએ આજની ટપાલોમાં જે ઉત્સાહ અને ભાવ પ્રગટ કર્યા તેનો પ્રતીસાદ આદરણીય આદીલજીએ નીચે મુજબ પાઠવ્યો છે -
————————————————————————–
આદરણીય ઉર્મીસાગરજી ,
આપે, સુરેશભાઇ જાની અને સર્વ શુભેચ્છકો, મિત્રો સ્વજનોએ લાગણીભર્યા શબ્દો, શિઘ્ર કાવ્યરચનાઓની અમી વર્ષા દ્વારા નેટ ઉપર જે ગુલાલ ઉડાવી ઉજવણી કરી, તે બદલ હૃદયપૂર્વક સર્વનો ઋણી છું.
ખૂબ ખૂબ આભાર સાથે તાજા ગઝલના થોડાક શેર….
થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો.
મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી,
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો.
મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો.
મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું,
માથે સતત હગાર નહીં જીરવી શકો.
- ‘આદિલ’ મન્સૂરી
Posted in સમાચાર | 16 Comments »
Posted by સુરેશ on May 18, 2007
‘નદીની રેતમાં રમતા નગર’ માં ઉછરેલા આ શાયર કહે છે -
‘ક્યાં કહું છું કે, મદીરા જ વધારી આપો,
એને તો જીંદગીભર રહે તેવી ખુમારી આપો. ‘
અને તેમને તો ?
તેમના
‘ આંસુંઓ માટે કોઇનો પાલવ તો જોઇએ.
તારાઓ લઇને શું કરે ‘આદીલ’ ગગન વીના?’
પણ જો જો ! એમ ના બને કે તેમને કહેવું પડે કે
‘ જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી દુઃખમાં ઓર વધારો કરી ગયા ! ”
કમસે કમ આપણે એટલું કહીને અટકી તો ન જ જઇએ કે.
‘દુઃખ પડે છે તેનો ‘આદીલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.‘!
તેઓ તો આપણને પોતાના સ્વજન ગણે છે. ખરેખર ‘માનવ થઇ શકેલા’ અને એવું માનનારા, સાચા ’માનવી’ છે કે,
‘ખુદ મને હું શોધવા ફરતો હતો,
ચોતરફ મારા જ પડછાયા હતા.’
બાકી એ તો અમેરીકામાં એવા રહી ગયા છે કે,
‘ હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.’
હવે અમારે
‘જે વાત કહેવી છે, શબ્દોથી જીરવાય નહીં,
પરીસ્થીતી વીશે ચુપ પણ રહી ન શકાય.’ !!
મીત્રો ! આજે આપણા એ લાડીલા આદીલજી 71 વર્ષ પૂરા કરી 72 મા વર્ષની નવી સફર આદરે છે. આપણા સૌ વતીથી તેમને આ શુભ પ્રસંગે હાર્દીક મુબારક્બાદી !!!!!!!!
તેઓ કદાચ આપણને સંબોધીને કહે છે કે,
‘આદીલ’ ઘરેથી નીકળ્યો – મીત્રોને શોધવા,
આપણે એવું નહીં કહીએ કે ,
‘ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો’ ;
પણ એમ કહીશું કે
” ‘ આદીલ’ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,
ગઇકાલનો આ માનવી, ( ગઝલનો ) શીક્ષક બની ગયો.”
તેઓ આપણને હજુ આવી તરોતાજા, ખુશનુમા, સદાબહાર ગઝલો આપતા રહે તેવી મનોકામના.
ફકીર મહમ્મદ મન્સુરી ‘ આદીલ’ નો પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો . જન્મ - 18 મે - 1936, અમદાવાદ
આપણે ‘આદીલ’ જીને ખાસ વીનંતી કરીએ કે, આ પ્રસંગે આપણા સૌને માટે એક વીશીશ્ઠ સંદેશો આપે.
Posted in સમાચાર | 4 Comments »
Posted by સુરેશ on April 27, 2007
ભાઇ શ્રી. દીપક પરમારની કવીતાઓને મળેલા આવકારથી મને બહુ જ આનંદ થયો છે. વધારે ને વધારે યુવાનો અને યુવતીઓ આ સવલતનો લાભ લેશે તો ગુજરાતી ભાશાની સારી સેવા થશે.
બીજી એક માહીતી આપવાની છે તે એ કે, ‘ઉર્મી’ અને હું દર શુક્રવારે એક નવો વીશય તેના બ્લોગ ‘ સર્જન સહીયારું’ પર મુકીએ છીએ, જેમાં સૌને ગુજરાતી સાહીત્યમાંથી, તે વીશય પર રચનાઓ ખોળી કાઢવાનું ( ખજાના શોધ) , અથવા પોતાની રચના બનાનીને આપવાનું (સર્જન ક્રીયા) ઇજન અપાય છે. આ એક જાતની કવીતા માટેની વર્કશોપ છે, અને સૌને માટે એક સરસ પીઠીકા પુરી પાડે છે. દર અઠવાડીયે 15 થી 20 વાચકો તેમાં ઉત્સાહ પુર્વક ભાગ લે છે.
તમને બધાને આ સવલતનો પણ લાભ લેવા હાર્દીક આમંત્રણ છે.
સર્જન સહીયારું - http://sarjansahiyaaru.wordpress.com/
અત્યાર સુધીમાં આ સર્જનક્રીયા માટે ઘણા વીશયો મુકવામાં આવેલા છે તે માટે પણ તમે તમારી રચનાઓ કે શોધ આપી શકો છો .
Posted in સમાચાર | 2 Comments »
Posted by સુરેશ on April 23, 2007
( ઉંઝા જોડણીમાં)
તા. 21 મી એપ્રીલ – 2007 ના રોજ ક્રીસ્ટોફર પાર લાયબ્રેરી, પ્લેનો, ટેક્સાસ ખાતે યુવા કાવ્ય –સંગીત સમારોહ ઉજવાઇ ગયો. ડલાસ – ફોર્ટવર્થના ગુજરાતી કવીતાના રસીકજનોના સંગઠન ‘શોધ’ના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી. નીશેન્દુ વસાવડાએ કર્યું હતું. નીચે દશાવેલ બાળકોએ તેમાં ભાગ લીધો હતો-
અદીતી શાહ અનુજ સોની
અમી શાહ અવની સોની
કીશન સોની ગોપીકા શાહ
જય જાની ધ્રુવ પુરી
નીરાલી ઠાકોર મોનીકા શાહ
રાધીકા શાહ રીતુ ત્રીવેદી
રીતુ ભટ્ટ રોહન ભટ્ટ
રુશભ મહેતા વીનય વલ્લભ
શાલીન મહેતા
———————-
કુલ – 17
બાળકોએ ભજનો, ગીતો, વાદ્યસંગીત અને સ્વરચીત કવીતાઓ રજુ કર્યાં હતાં. શ્રીમતી સંગીતાબેન ધારીયાએ સુરીલા કંઠે પ્રાર્થના અને ગઝલ ગાયાં હતાં. શ્રી. રીઝવાન શેખ અને શ્રી. અતુલ શાહે શ્રી. હીમાંશુ ભટ્ટની એક ગઝલનું સ્વરાંકન કરેલી રચના કર્ણમધુર સંગીત સાથે પીરસી હતી. આ અહેવાલના લેખકે બાળકો માટેના એક વૃંદગાન ( ચાલોને નાચીએ ) નું પઠન કર્યું હતું, જે સૌએ ઉત્સાહપુર્વક ઝીલ્યું હતું. ભારતીય રાશ્ટ્રગીત જય જાનીએ કીબોર્ડ પર રજુ કર્યું, તેની સાથે આ કાર્યક્રમની સમાપ્તી થઇ હતી. દરેક બાળકને ‘શોધ’ તરફથી સ્મૃતીચીહ્ન રુપે કપ આપવામાં આવ્યો હતો.
‘ શોધ ‘ ના કામગરા મીત્રો આરતીબેન અને પ્રવીણભાઇ દેસાઇ, રુચા જાની અને તેના ભાઇ ઉમંગ જાની, વીનુભાઇ સોની, હીમાંશુ ભટ્ટ, નીશેન્દુ વસાવડા, સંગીતા ધારીઆ, અતુલ શાહ, રીઝવાન શેખ, વી. એ આ કાર્યક્રમ સફળતાપુર્વક પાર પાડવા માટે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
છેલ્લા બે વર્શથી વસંત રુતુમાં યોજાતો બાળકો/ યુવા માટેનો આ કાર્યક્રમ હવે ડલાસ/ ફોર્ટવર્થ ના ગુજરાતી સમાજ માટે એક અનીવાર્ય અને અવીભાજ્ય અંગ બની ગયો છે.
————————————————————————–
…..Jay Jani with his parents and award
Youth Poetry/ Music Celebration- Dallas- 2007
On 21st April – 2007 a program of poetry and music for youth was organized at Christopher Parr Library, Plano, Texas. The program was held under the auspices of ‘ Shodh’ - a Gujarati poetry lovers’ group of Dallas/ Fortworth and nearby towns. The program was conducted by Shri Nishendu Vasavada. Following children participated in the program:-
Aditi Shah Ami Shah
Anuj Soni Avani Soni
Dhruv Puri Gopika Shah
Jay Jani Kishan Soni
Monica Shah Nirali Thakor
Radhika Shah Ritu Trivedi
Ritu Bhatt Rohan Bhatt
Rushabh Mehta Shalin Mehta
Vinay Vallabh
———————–
Total -17
The children presented prayers, songs, instrumental music and poetry recitation. Mrs. Sangita Dharia sung a prayer and a gajhal in her melodious voice. Mr. Rizwan Shaikh and Mr. Atul Shah presented a gajhal written by Mr. Himanshu Bhatt with melodious music. The writer of this report recited a chorus song ( Let us dance ) for kids, in which the audience also participated heartily. The program ended with Indian National Anthem presented by Jay Jai on Keyboard. Each child was awarded a cup in memory of participation.
The untiring members of ‘Shodh’ - Arti and Pravin Desai, Rucha Jani and her brother Umang Jani, Vinubhai Soni, Himanshu Bhatt, Nishendu Vasavada, Sangita Dharia, Atul Shah, Rizwan Shailkh etc. exerted a lot to make this program successful.
This program for kids held in spring since last two years has become an unavoidable and integral part for the Gujarati community of Dallas/ Fortworth and nearby towns.
Posted in સમાચાર | 9 Comments »
Posted by સુરેશ on March 26, 2007
આજની તારીખથી ‘ વ્યક્તી વીશેષ ‘ પ્રયોગાત્મક ધોરણે ઉંઝા જોડણીમાં આપવામાં આવશે. આ સાહસ થોડું ખમી લેવા વીનંતી.
આપ સૌના પ્રતીભાવો આવકાર્ય છે.
Posted in સમાચાર | 3 Comments »
Posted by સુરેશ on February 7, 2007
તા. ત્રીજી ફેબ્રુઆરી - 2007 ના રોજ ગુજરાતી નેટ જગતની ત્રીજી ચેટ કોન્ફરન્સ યોજાઇ હતી . તેનો અહેવાલ વાંચો —
Posted in સમાચાર | No Comments »
Posted by સુરેશ on January 11, 2007
તા. 7 , જાન્યુઆરી- 2007, રવિવારના રોજ 2006ના વર્ષ માટેનો ‘ તરકશ’ એવોર્ડ ‘ જાહેર કરવામાં આવ્યો ; એ એક આવકાર્ય અને અભૂતપૂર્વ ઘટના છે. પૂર્વ-નિર્ધારિત નીચે જણાવેલ સાત બ્લોગરોમાંથી વાચકોના મતના આધારે આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
1. અમિત પીસાવાડીયા - ઉપલેટા
2. ‘ઉર્મીસાગર’ - ન્યુ જર્સી
3. જયશ્રી ભક્ત - લોસ એંજેલસ
4. નીલમ દોશી - કલકત્તા
5. સુરેશ જાની - ડલાસ
7. ડો. વિવેક ટેલર - સુરત
ઉપરોક્ત બ્લોગરોમાંથી વિશ્વવ્યાપી લોકમતના આધારે નીચે મુજબ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા : -
1. સુવર્ણ કલમ – જયશ્રી ભક્ત/ સુરેશ જાની
2. રજત કલમ – ડો. વિવિક ટેલર
3. કાંસ્ય કલમ – ‘ઉર્મીસાગર’
આ એવોર્ડ અમદાવાદના હિન્દી/ ગુજરાતી ભાષી યુવાન મિત્રો પંકજ બેંગાણી, સંજય બેંગાણી, સમીરલાલ અને રવિ કામદારના ભેજાની પેદાશ છે! તેમની વેબ સાઇટ ‘ તરકશ ‘ ઓગસ્ટ - 2005 માં શરુ કરવામાં આવી હતી. તેમણે આવો જ એવોર્ડ હિન્દી બ્લોગરોને પણ અર્પ્યો છે. આવું કંઇક કરવું જોઇએ તેવી તેમની ભાવના માટે સૌ બ્લોગરો તેમના ઋણી રહેશે. ગુજરાતી બ્લોગરો અને વાચકોના ઉત્સાહને બળવત્તર બનાવનાર આ પ્રયત્ન ખરેખર બીરદાવવા લાયક છે. બ્લોગરોના સ્વયંસ્ફુરિત જોમને આથી ખૂબ સારો ટેકો મળશે તે વાત નિર્વિવાદ છે.
કદાચ આ એવોર્ડના નિયમો અને પધ્ધતિમાં સુધારાને અવકાશ હશે. બધા બ્લોગોને આમાં સ્થાન મળવું જોઇતું હતું. અને નિર્ણયની પ્રક્રિયા પણ સુધારી શકાઇ હોત - જેમકે કોઇ પણ બ્લોગરને મળેલા ત્રણે વિભાગોના મતોને વજનવાર ગુણાંક આપવામાં આવ્યા હોત તો બધા મતોને યોગ્ય પ્રતિનિધિત્વ મળત. આપવામાં આવેલા મતોના આધારે, દેખીતી રીતે માત્ર જયશ્રી ભક્ત જ ‘સુવર્ણ કલમ એવોર્ડને માટે સૌથી યોગ્ય બ્લોગર છે.
એ જણાવવાની પણ તક લઉં છું કે, આ ટીમે ‘ ઓટલો ’ જેવી સરસ બ્લોગ - સીન્ડીકેશનની વેબ સાઇટ બનાવીને વિશ્વ ગુજરાતી સમાજની ઘણી સેવા કરી છે. તેમણે હિન્દી બ્લોગરો માટેના ટ્યુટર પણ બનાવ્યા છે જે, ગુજરાતી બ્લોગરો પણ વાપરી શકે છે. તેમના દ્વારા પ્રસંગોપાત્ અપાતા ગુજરાતી બ્લોગોના રીવ્યૂ પણ વિવેચનની એક નવી ભાત પાડી જાય છે.
કોઇને થશે કે, આ લખનારને પ્રથમ એવોર્ડ મળ્યો છે માટે આ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ, આને કોઇના વ્યક્તિગત વિજય તરીકે મૂલવવા કરતાં આ ઘટનાથી ગુજરાતી બ્લોગીંગની પ્રક્રિયાનો વિજય થયો છે, તેને એક નવું પરિમાણ મળ્યું છે - તે અગત્યનું છે ; તે બહુ જ આવકારદાયક છે. ભાગ લેનાર સૌ મિત્રો જ છે; ‘ગમતાનો ગુલાલ’ કરવાની ફિલસુફીમાં માને છે અને આનંદથી એકમેકની સાથે આ પ્રવૃત્તિની સાંકળથી જોડાયેલા છે. આ તો સૌને માટે આનંદની ઘટના છે.
આ પ્રથમ પ્રયત્ન માટે તરકશ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. ભવિષ્યમાં પણ તરકશ ટીમ દર વર્ષે પૂરતો સમય સૌને આપીને અને એવોર્ડની સમગ્ર પ્રક્રિયાનું પુનર્મૂલ્યાંકન કરીને આ એવોર્ડને વધારે ને વધારે દેદીપ્યમાન બનાવે તેવી શુભ કામના ….
Posted in સમાચાર | 2 Comments »
Posted by સુરેશ on January 5, 2007
આજે તા. 4 જાન્યુઆરી - 2007 આપણા સૌને માટે બહુ જ યાદગાર દિવસ હોવો જોઇએ.
આજથી સો વર્ષ પહેલાં ગુજરાતી સાહિત્યની આ વિરલ વિભૂતિએ મુંબાઇમાં ચીર વિદાય લીધી હતી. ગુજરાત તેમને તેમની અમર કૃતિ ‘ સરસ્વતીચન્દ્ર’ માટે હંમેશ યાદ કરશે.
તેમનું બહુ જ જાણીતું વાક્ય ” ઘેલી મારી કુસુમ ! “ - અમર પાત્ર કુમુદસુંદરીના મુખે
તેમના વિશે વધુ જાણો -
Posted in સમાચાર | No Comments »